ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ધીરધીરે વધી રહી છે અને અત્યાર સુધીમાં કુલ કેસો 74 લાખને પાર થઈ ગયા છે. જોકે, સારી બાબત એ છે કે સક્રિય કેસોની સંખ્યા આંઠ લાખથી ઓછી થઇ છે. 1 સપ્ટેમ્બર બાદ પ્રથમવાર ભારતમાં કોરોનાના સક્રિય કેસીઝનો આંકડો આઠ લાખથી નીચે ગયો છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના કુલ કેસો 74,32,680 થયા છે. 24 કલાકમાં નવા 62,212 કેસો નોંધાયા છે. વધુ 837 દર્દીઓના મોત થતા કોરોનાથી કુલ મૃત્યુઆંક 1, 12, 998 થયો છે.
આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ 24 કલાકમાં 70,816 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાના નવા કેસીઝની સરખામણીએ સ્વસ્થ થતા લોકોનો આંક વધુ રહ્યો છે, આથી કોરોનાના કુલ સક્રિય કેસો ઘટ્યા છે. દેશમાં વર્તમાન સમયે કોરોનાના કુલ સક્રિય કેસો 7,95,087ના સ્તરે રહ્યા છે. કોરોનાનો રિકવરી રેટ 87.78 ટકા છે જ્યારે સક્રિય દર્દીઓની ટકાવારી કુલ કેસના 10.69 ટકા છે. આ ઉપરાંત કોરોનાથી મૃત્યુ દર 1.52 ટકા રહ્યો છે. કોરોના ટેસ્ટ દરમિયાન સંક્રમિત વ્યક્તિ મળવાનો દર 6.22 ટકા રહ્યો છે.