પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે (2021) ઓગસ્ટમાં ઈંગ્લેન્ડના પ્રવાસે આવશે અને અહીં 5 ટેસ્ટ મેચની સીરીઝ રમાશે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ આ પ્રવાસ કાર્યક્રમની ગયા સપ્તાહે જાહેરાત કરી હતી.

ઈસીબીના સીઈઓ ટોમ હેરિસનના જણાવ્યા અનુસાર સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ટ્રેન્ટ બ્રિજમાં (4 – 8 ઓગસ્ટ) અને લોર્ડસમાં બીજી ટેસ્ટ (12 – 16 ઓગસ્ટ) રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ (25 – 29 ઓગસ્ટ) હેડિંગ્લેમાં, ચોથી ટેસ્ટ ઓવલ ખાતે (2 – 6 સપ્ટેમ્બર) તથા પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં (10-14 સપ્ટેમ્બર) રમાશે. ભારતની સીરીઝ પહેલા શ્રીલંકા સામે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સની અને પછી પાકિસ્તાન સામે પણ ત્રણ વન-ડે તથા ત્રણ ટી-20ની સીરીઝ રમાશે.