ભારતે અત્યાર સુધીમાં એક જ દિવસમાં 1 કરોડથી વધુ રસીઓ આપીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતમાં શુક્રવારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 62.29 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. શનિવારના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં રસીના 1,03,35,290 ડોઝ આપવામાં આવ્યા છે. 21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,18,52,802 દર્દીઓ સાજા થઇ ગયા છે, અને એકંદરે સાજા થવાનો દર 97.56 ટકા થયો છે. જ્યારે 62 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કોરોનાના કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ શનિવારે 3,59,775 હતું, જે સક્રિય કેસ કુલ કેસનાં 1.10 ટકા છે.
ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 51.68 કરોડથી વધારે (51,68,87,602) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.19% છે જે છેલ્લા 64 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.66% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 33 દિવસથી 3%થી ઓછો અને 82 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.