ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 50 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. શનિવાર સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 50,10,09,609 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 49,55,138 ડોઝ આપવામાં આવ્યા છે.
21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,10,55,861 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 40,017 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.37% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 38,628 નવા કેસ નોંધાયા છે. પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ આજે 4,12,153 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.29% છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,50,081 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 47.83 કરોડથી વધારે (47,83,16,964) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.39% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.21% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 12 દિવસથી 3%થી ઓછો અને 61 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.