ભારતીય ટીમના સુપરસ્ટાર્સ હવે આઈપીએલમાં વ્યસ્ત થશે. આઈપીએલ પુરી થયા પછી ભારતીય ટીમ શ્રીલંકા અને ઈંગ્લેન્ડના તેમજ એ પછી સંભવિત બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે. આ પ્રવાસોમાં મોટાભાગના મુકાબલા વન-ડે અને ટી-૨૦ના જ છે.
આઈપીએલ ૩૧મી મેના રોજ પુરી થશે. આ પછી ભારતીય ક્રિકેટરોને થોડો આરામ મળશે અને ત્યાર પછી તેઓ આંતરરાષ્ટ્રિય કેલેન્ડરમાં વ્યસ્ત થશે. આ કાર્યક્રમનો પ્રારંભ જુનમાં જ અફઘાનિસ્તાન સામે ઘરઆંગણેની શ્રેણીથી થશે. એ સીરીઝમાં બંને દેશો વચ્ચે ૬ થી ૨૦ જુન દરમિયાન એક ટેસ્ટ અને ત્રણ વન-ડે રમાશે.
01 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં પાંચ ટી-20 અને ત્રણ વન-ડેની સીરીઝ રમવાની છે. ઓગસ્ટમાં ભારતીય ટીમ શ્રીલંકાના ટુંકા પ્રવાસે જશે, જેમાં બે ટેસ્ટ મેચ અને બે ટી-20ની સીરીઝ રમશે. સપ્ટેમ્બરમાં ફરી અફઘાનિસ્તાન સામે ત્રણ ટી-20ની સીરીઝની દરખાસ્ત છે, તે ક્યાં રમાશે એ પણ હજી નક્કી નથી.
સપ્ટેમ્બર – ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશે. એ સીરીઝમાં ત્રણ વન-ડે અને પાંચ ટી-20 રમાશે.
૨૫મી સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સ પણ યોજાવાની છે. ભારતીય ટીમ ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે રમશે.
ઓક્ટોબર-નવેમ્બરમાં ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે, ત્યાં બે ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે અને પાંચ ટી-20ની સીરીઝ રમાશે. એ પછી ડિસેમ્બરમાં શ્રીલંકાની ટીમ ભારતનાના પ્રવાસે આવશે, એ શ્રેણીમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમાશે.













