(ANI photo)

એક સપ્તાહ જેટલા સમયમાં લંડનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ માટેના સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદીમાં એક ફેરફાર કર્યો છે. ઋતુરાજ ગાયકવાડ તેના લગ્નના કારણે સમયસર ટીમ સાથે લંડનમાં જોડાઈ શકે તેમ નહીં હોવાથી તેના સ્થાને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરાયો છે. 

ઋતુરાજ ગાયકવાડ બે વર્ષથી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ઝમકદાર દેખાવ કરી રહ્યો હોવાથી તેની સ્ટેન્ડ બાય તરીકે પસંદગી કરાઈ હતી. પણ હવે તેના લગ્ન નક્કી થયા હોવાથી તે સમયસર ટીમ સાથે લંડનમાં જોડાઈ શકે તેમ નહીં હોવાની જાણ તેણે ક્રિકેટ બોર્ડને કરી હતી. 

આ સંજોગો, આ વર્ષે આઈપીએલમાં એકંદરે ઘણો જ પ્રભાવશાળી દેખાવ કરનારા રાજસ્થાન રોયલ્સના ખેલાડી યશસ્વી જયસ્વાલનો ગાયકવાડના સ્થાને સમાવેશ કરાયો છે. રવિવારે (28 મે) ભારતીય ક્રિકેટ બોર્ડે આખરી 15 ખેલાડીઓના નામ આઈસીસીને મોકલ્યા હતા, તેમાં યશસ્વીનો સમાવેશ કરાયો હતો. તે ગણતરીના દિવસોમાં જ લંડન પહોંચી જશે.  

LEAVE A REPLY

four + seventeen =