લંડનમાં સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે જન્માષ્ટમી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરૂ જે રામાનંદ સ્વામી તેમના પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સહજાનંદ સ્વામીને શ્રી રામાનંદ સ્વામીએ ત્યાગીની દીક્ષા આપી હતી. એટલે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી રામાનંદ સ્વામીને પોતાના ગુરુ કર્યા હતા. આજે તેમનું પ્રાગટ્ય હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રી રામાનંદ સ્વામીની પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ હોવાથી તેમની પણ પ્રાગટ્ય જયંતી ઉજવાય છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગ્યા હતા કે, તમારા જે કોઈ આશ્રિત થાય એ ક્યારેય ખાવા પીવાની બાબતે કે વસ્ત્રની બાબતે ક્યારેય દુઃખી થાય નહીં, અને તેમને અનેક પ્રકારનું દુખ આવવાનું હોય તો અમને દુઃખ આવે પણ અમારા આશ્રિત સુખી રહે તેવા વરદાન માગ્યા હતા. જેના કારણે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી સુખી સંપન્ન જોવા મળે છે. તેથી આપણે પણ જીવનમાં સુખી થવું હોય તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના નિયમ ધર્મ પાળવા જોઈએ.

LEAVE A REPLY