(Photo by Steffen Kugler/Getty Images)

કાજોલ અને કરણ જોહરની મિત્રતા વિશે સહુ જાણે છે. ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ થકી કાજોલ અને કરણ જોહર અકબીજાના સારા મિત્રો બન્યા હતા. આજે વર્ષો પછી પણ કરણ અને કાજોલ એકસાથે જ્યારે પણ જોવા મળે છે ત્યારે તેમની વચ્ચેના સંબંધની સમજણ અચૂક જોવા મળે છે.

પરંતુ આ સંબંધમાં એક કારણે તીરાડ આવી હતી. ઘટના જાણે એવી હતી કે કાજોલના પતિ અજય દેવગણની ફિલ્મ અને કરણ જોહરની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની હતી. કોઈ પોતાની તારીખ બદલવા તૈયાર નહોતું. અંતે અજય દેવગણની ફિલ્મને નુકસાન થયું.

આ સમયે કાજોલે કરણ જોહર સાથે છેડો ફાડીને પતિ અજય દેવગણનો સાથે આપ્યો. બન્ને વચ્ચે લાંબા સમય સુધી અબોલા રહ્યાં. અબોલા એટલે હદ સુધી વધી ગયા કે કરણે પોતાની ઓટોબાયોગ્રાફીમાં કાજોલના નામનો ઉલ્લેખ પણ કર્યો નહીં. પરંતુ સમયની સાથે પરસ્પર સમજૂતી પછી તેઓ આજે બંને એકબીજાના સારા મિત્રો છે.

LEAVE A REPLY

fifteen − fourteen =