BAPSના પ્રગટસ્વરૂપ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજની આજે તા.૩૦-૯-૨૧ને ગુરૂવારે ૮૮મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. આ નિમિત્તે બીએપીએસ દ્વારા દેશવિદેશમાં સંસ્થાના મંદિરો ખાતે વિવિધ આયોજન કરવામાં આવ્યાં છે. પ.પૂ. મહંત સ્વામીની જન્મજયંતીની ઉજવણી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. આ ઉજવણીના અવસરનું વિવિધ ચેનલ અને સંસ્થાની વેબસાઇટ પર જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો દેશવિદેશમાં વસતા મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો છે. પ.પૂ મહંત સ્વામી અત્યારે સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યાં હોવાથી ત્યાં આ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.