છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દેશોમાં ચાલી રહેલા વૈમનસ્યને પરિણામે બહુ જ મોટા પાયા પર મનુષ્ય જાનહાનિ થઈ રહી છે. સેંકડો નિર્દોષ લોકોનાં મોત નિપજયા છે. કેટલાંયે બાળકો યુધ્ધનો ભોગ બન્યા છે. હજારો લોકો બેઘર બની ગયા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને તબીબી સારવાર મળવી મુશ્કેલ થઈ છે. સંઘર્ષને કારણે આ દેશોમાં જે સ્થિતિ સર્જાઇ છે તેને લીધે પૂજ્ય મોરારીબાપુ વ્યથિત થયા છે. નિર્દોષ લોકોનાં જે પ્રમાણે મોત થઈ રહ્યાં છે તે કોઈ પણ સંવેદનશીલ વ્યકિતના હૃદયને કંપાવનારા છે.

આ પરિસ્થિતિમાં યુદ્ધના કારણો જે કોઈ પણ હોય તેને એક તરફ રાખી પૂજ્ય મોરારીબાપુએ ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીની રેડ ક્રેસેન્ટ સંસ્થાને માનવતાના ધોરણે રૂ. ૨૫ લાખની મદદ મોકલી છે. આ આર્થિક સહાય બ્રિટનસ્થિત લોર્ડ ડોલર પોપટ અને પાવન પોપટ દ્વારા રેડ ક્રેસેન્ટ સંસ્થાને પહોચતી કરવામાં આવશે. જરુરી દવાઓ અને મૂળભૂત જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે આ રકમ માનવતાને ધોરણે બંને દેશો વચ્ચે વહેંચવામાં આવશેં. આ કાર્યમાં મેગાન ડેવીડ એડોમ અને તેમની ટીમ સહયોગ આપી રહી છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ દૂર થાય અને પૂનઃશાંતિ સ્થાપિત થાય તે માટે પૂજ્ય મોરારીબાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

LEAVE A REPLY

3 × two =