દિવાળી પછી કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે રાજ્યમાં મહાનગરોમાં લાદવામાં આવેલા રાત્રિ કરફ્યૂને લંબાવવામાં આવે શક્યતા છે. રાજ્યના મહાનગરોમાં 21 ડિસેમ્બર સુધી રાત્રિ કરફયૂ લંબાવવામાં આવશે તેવું માનવામાં આવે છે. કરફયૂનો સમય રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવે તેવી શકયતાઓ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા રાત્રિ કરફ્યૂ અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલી છે. આ રાત્રિ કરફયૂ સાત ડિસેમ્બર સુધી જાહેર કરાયેલો છે.