Gujarat BJP president CR Patil hinted at early elections

ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહિત રાજ્યની પાંચ મહાનગર પાલિકીની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટી આપી નથી. પક્ષે ગુરુવારે સાંજે અમદાવાદ કોર્પોરેશનના 48 વોર્ડની ચૂંટણી માટે કુલ 192 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ એકપણ ઉમેદવાર મુસ્લિમ નહોતો. અમદાવાદ શહેરમાં જમાલપુર, દરિયાપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર અને રખિયાલ વોર્ડમાં મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ છે.

માત્ર અમદાવાદ જ નહીં, ભાજપે વડોદરા, સુરત, રાજકોટ તથા ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પણ એકપણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જોકે જામનગરમાં પાર્ટીએ 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે કે ભાજપ આ વખતે વધુ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. ગુજરાતની 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIMના વડા અસાઉદ્દીન ઔવેસીએ ઉતરવાની જાહેરાત કરતા ભાજપ વધુ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે.

વર્ષ 2015માં પણ ભાજપે અમદાવાદની મનપાની ચૂંટણીમાં પહેલીવાર સરખેજ, બહેરામપુરા, અને જમાલપુરમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જોકે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં હારી ગયા હતા.

આ મુદ્દે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે અમદાવાદમાં મુસ્લિમ કાર્યકરોને ટિકિટ ન આપવા જેવું કશું નથી. પાર્ટીએ તમામ જગ્યાઓ પર ટિકિટ આપવા માટે જીતવાની ક્ષમતાને જ ધ્યાનમાં લીધી છે. અગાઉની ચુંટણીમાં પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી પરંતુ તેઓ જીતી શક્યા નહોતા. પાર્ટીએ ઉમેદવારોને માત્ર મેરિટના આધારે પસંદ કર્યા છે.’