(Photo by SAJJAD QAYYUM/AFP via Getty Images)

પાકિસ્તાને કાશ્મીરમાં અંકુશરેખા (એલઓસી) ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરીને ગુરુવારે ગોળીબાર કર્યો હતો અને તેનાથી ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા અને પાંચ જવાન ઘાયલ થયા હતા.

ગોળીબારીની આ ઘટના કાશ્મીરના કુપવાડા અને પુંછ જિલ્લામાં થઇ છે. છેલ્લા 12 કલાકની અંદર પાકિસ્તાને કરેલી ગોળીબારીમાં ત્રણ ભારતીય જવાનો શહીદ થયા હતા. ઘાયલ જવાનોને સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય જવાનોએ પણ આ ગોળીબારીનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. જેમાં પાકિસ્તાનને પણ ભારે નુકસાન થયું હતું.

બુધવારે રાત્રે પણ પાકિસ્તાને એલઓસી ઉપર ગોળીબાર કર્યો હતો. બુધવાર રાતે જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાને ગોળીબારી કર્યો હતો. ભારતીય જવાનોએ આપેલા જવાબમાં પાકિસ્તાનની બે ચોકીઓનો નાશ થયો હતો. પાકિસ્તાની ચાર સૈનિકોના ઘાયલ થયાની અહેવાલ મળ્યા હતા. ગુરુવારે સવારે કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં ભારતીય ચોકીઓ ઉપર પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર મારો પણ કર્યો હતો.