(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

પરિણીતિ ચોપરા ફિલ્મો સિવાય પોતાની અંગત જિંદગી અંગે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર અને ઇન્ટરવ્યૂમાં પોતાના કારકિર્દી અંગે ખુલાસા કરતી રહે છે. પરંતુ તાજેતરમાં તેણે કરેલી સ્પષ્ટતાને કારણે તે ચર્ચામાં છે. પરિણીતિએ ફિલ્મોમાં પોતાના કિસિંગ સીન અને લવ મેકિંગ સીનને લઇને ખુલાસો કર્યો છે. તેને એક આપેલા ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તમે કોઇ સીન કરવાથી અસ્વસ્થ નથી થયા અને થયા છો તો છતાં પણ તે સીન કર્યો હોય?

આ અંગે પરિણીતિએ કહ્યું કે, હા છેલ્લાં પાંચ વર્ષમાં અનેક ફિલ્મમાં એવા સીન હતા. હું જે કામ કરી રહી હતી તેનાથી નાખુશ હતી. મને પોતાના પર વિશ્વાસ હતો, પરંતુ ફિલ્મ નિર્માતા મને તે કેરેક્ટર આપતા નહીં, મને કંઇક તલાશ હતી. હું કમને ફિલ્મો સ્વીકારતી હતી. હું સતત અસંતોષની સ્થિતિમાં હતી. આ ઉપરાંત તેને પૂછવામાં આવ્યું કે શું તમે રોમેન્ટિક સીન કરતાં પરેશાન થયા છો? ત્યારે પરિણીતિએ કહ્યું કે, ના મેં અંતરંગ, કિસિંગ અને લવ મેકિંગ સીન કર્યા છે પરંતુ આવા સીનમાં કટનો મતલબ કટ હોય છે. જ્યારે પણ શારીરિક રીતે કોઇ સીન કરું છું ત્યારે તે ટેકનિકલી અને ક્લિનિકલ હોય છે.