(Photo BY STR/AFP via Getty Images)

બોલિવૂડના એક્ટિંગ લેજન્ડ સ્વ. દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથળતા તેમને ત્રણ દિવસથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બુધવારે ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ ગયેલું અને તેઓ તેમને ICUમાં એડમિટ કરવામાં આવ્યાં હતા. હિન્દુજા હોસ્પિટલના હેલ્થ અપડેટ મુજબ 77 વર્ષીય સાયરા બાનુની તબિયતમાં સુધારો થયો છે અને ટૂંક સમયમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

પરિવારના નજીકના લોકોએ જણાવ્યું હતું કે સાયરા બાનોએ દિલીપ કુમારના વિયોગમાં પોતાની જાતને એકલી કરી દીધી છે. તેઓ ન કોઈની સાથે વાત કરે છે અને ન તો કોઈને મળે છે. દુનિયાને ભૂલીને તેમને દિલીપ સાહેબની યાદોને જ પોતાની દુનિયા બનાવી લીધી છે. બે મહિના પહેલાં 7 જુલાઈના રોજ દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થયું હતું.