(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

યુવાદિલોની ધડકન સમાન સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુને લાંબો સમય થયો છે. હવે ભારત સરકાર તેના નામ પર એક એવોર્ડ જાહેર કરવાનું વિચારે છે, તેમ સૂત્રો જણાવે છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતના નામ પર એક રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડનું નામ આપવાનું સરકારમાં વિચારણા હેઠળ છે. આ પ્રસ્તાવને મંત્રાલયમાં આગળ વધારવામાં આવી છે, જોકે તે અંગે નિર્ણય લેવામાં થોડો સમય થશે. પરંતુ અમને આશા છે કે, સુશાંતને આ સન્માન જરૂર મળશે. સુશાંતના અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઇએ પણ કરી હતી. પરંતુ હજી સુધી તેનું કોઇ પરિણામ આવ્યું નથી. સુશાંતની બાયોપિકની જાહેરાત પણ થઇ ગઇ હતી પરંતુ તેમાં નવી કોઇ વાત જાણવા મળી નથી.