એક્ટરમાંથી અભિનેતા બનેલી ઉર્મિલા માતોંડકર મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, રશ્મી ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ હતી.

બોલીવૂડની અભિનેત્રી ઉર્મિલા માંતોડકર મંગળવારે શિવસેનામાં જોડાઈ હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલાએ શિવસેનાનુ સભ્યપદ મેળવ્યું હતું.

ઉર્મિલાએ 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઈની એક બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણઈ લડી હતી. જોકે મોદી લહેરમાં કોંગ્રેસનો મુંબઈની તમામ બેઠકો પર સફાયો થયો હતો અને ઉર્મિલા પણ ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી સામે હારી ગઈ હતી. એ પછી ઉર્મિલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.

ઉર્મિલા શિવસેના સાથે જોડાશે તેવી અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી કારણ કે શિવસેનાએ ઉર્મિલા માંતોડકરને પોતાના ક્વોટામાંથી વિધાન પરિષદની સભ્ય બનાવવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં રાજ્યપાલના ક્વોટામાંથી 12 સભ્યોની નિમણૂંક થતી હોય છે. મહારાષ્ટ્રમાં સરકારમાં સામેલ ત્રણ પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ચાર-ચાર નામ રાજ્યપાલને મોકલી આપ્યા હતા. શિવસેનાએ જે નામોની ભલામણ કરી હતી તેમાં ઉર્મિલાનો પણ સમાવેશ થતો હતો.