વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન ખાતે તાજેતરમાં તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તુલસી વિવાહના યજમાન તરીકે રાજેન્દ્રભાઈ અને કુસુમબેને તુલસીના માતા-પિતા તરીકે અને પંકજભાઈ અને માલતીબેને કૃષ્ણ ભગવાનના માતા-પિતા તરીકે સેવાઓ આપી હતી. VHPના ખજાનચી મુકેશભાઈ અને શોભનાબેને મામા-મામીની ભૂમિકા ભજવી હતી. સૌએ પ્રસંગને આનંદ ઉત્સાહભેર માણ્યો હતો અને સાથે ભોજન લીધું હતું.

LEAVE A REPLY

ten + 20 =