પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેના માટે કરોડો રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે, એવી વિધાનસભામાં સરકારે માહિતી આપી હતી.

ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વળતરની સ્થિતિ અંગે માહિતી માગી હતી. આ પ્રશ્નના લેખિત ઉત્તરમાં મહેસૂલ વિભાગે જણાવ્યું હતું કે કે, દસ્ક્રોઈ, સાબરમતી, ઘાટલોડિયા, વટવા અને અસારવામાં કુલ મળીને 27-15-17 હેક્ટર ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન સંપાદન કરવાની હતી. ડિસેમ્બર 2021 સુધી 26-43-14 હેક્ટર ચોરસ મીટર જમીનનું સંપાદન થઈ ગયુ હતું.દસક્રોઈ તાલુકામાં 58.08 કરોડ, સાબરમતીમાં 537.53 કરોડ, ઘાટલોડિયામાં 367.22 કરોડ, વટવામાં 14.42 કરોડ અને અસારવામાં 131.45 કરોડ રુપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.