ભારતમાં શનિવાર સુધીમાં 58,42,530 રસી ડોઝના ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 111.40 કરોડના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,38,26,483 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 12,403 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.26 ટકા થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે. 139 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 11,850 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ અત્યારે 1,36,308 છે, 274 દિવસમાં સૌથી નીચું છે, જે સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,66,589 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 62.23 કરોડથી વધારે (62,23,33,939) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર અત્યારે 1.05 ટકા છે જે છેલ્લા 50 દિવસથી 2 ટકાથી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર 0.94 ટકા નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 40 દિવસથી 2 ટકાથી ઓછો છે અને સળંગ 75 દિવસથી આ દર 3 ટકાથી નીચે જળવાઇ રહ્યો છે.