કાજોલે અભિનયમાંથી સંન્યાસ તો નથી લીધો પણ એ ઝાઝું પડદા પર દેખાતી પણ નથી. પરંતુ હવે આ ચિત્ર બદલાશે. આ વરસે એ નેટફ્લિક્સની ફિલ્મ ત્રિભંગામાં દેખા દેશે અને પછી એ એક વેબ સીરિઝ માટે પણ સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે વાટાઘાટ ચલાવી રહી છે.કાજોલ જેમાં હીરોઈન હતી એ ૨૦૧૦ની વી આર ધ ફેમિલીનો ડિરેક્ટર સિધ્ધાર્થ હતો. ત્યારથી બન્ને વચ્ચે સારા સંબંધ છે. કાજોલે નેટફ્લિક્સની ફિલ્મ દ્વારા આ જોનરમાં ઝંપલાવ્યું છે. હવે એને આ માધ્યમમાં વધુ રસ પડયો છે. કાજોલ અને સિદ્ધાર્થને એક વિષય ગમ્યો છે અને બન્ને સાથે કામ કરવા પણ ઉત્સુક છે. જો કે સિધ્ધાર્થે કહ્યું કે કાજોલ કોઈ પ્લેટફોર્મના આધારે અભિનય કરવાનો નિર્ણય નથી લેતી. ફિલ્મની વાર્તા, વિષય અને એના પાત્રની ગહેરાઈના આધારે યસ કે નો કરે છે.