(Photo by STRDEL/AFP via Getty Images)

ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો રજનીકાંત અને અમિતાભ બચ્ચન ફરીથી મોટા પડદા પર ફરી એકસાથે જોવા મળશે. હમ, અંધા કાનૂન અને ગિરફ્તાર જેવી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા પછી આ બંને લગભગ 32 વર્ષ પછી થલાઈવર 170 નામની આગામી ફિલ્મ એકસાથે કરી રહ્યાં છે.

હાલમાં જ રજનીકાંત તેની ફિલ્મ જેલરના શૂટિંગમાં વ્યસ્ત હતા. જોકે હવે શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ પછી તે લાલ સલામ પર કામ કરી રહ્યો છે. આ બે ફિલ્મો પછી તે ટીજે જ્ઞાનવેલની ફિલ્મ થલાઈવર 170 પર કામ શરૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેમની કારકિર્દીની 170મી ફિલ્મ હશે, તેથી તેને હાલમાં ફિલ્મનું નામ થલાઈવર 170 નામ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

five × 1 =