(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

બોલીવૂડમાં સુપર-ડુપર હિટ થયેલી ફિલ્મોની રીમેકનું ચલણ વધી રહ્યું છે. જોકે, તેનાથી ફાયદો એ થયો છે કે, નવી પેઢીના દર્શકોને જુના કલાકારોના દબદબા અને તેમની અભિનય ક્ષમતાની માહિતી મળે છે. હવે આ રીમેકના જમાનામાં માધુરી દીક્ષિત અને અનિલ કપૂર અભિનિત ખૂબ જ જાણીતી ફિલ્મ ‘તેજાબ’ની રીમેક થાય તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘણા લાંબા સમયના પ્રયત્ન પછી ‘તેજાબ’ના રાઇટ્સ વેચાઇ ગયા છે અને ટૂંક સમયમાં જ તેની રીમેકની જાહેરાત થાય તેવી સંભાવના છે.

સૂત્રો કહે છે કે, આ ફિલ્મના રાઇટ્સ નિર્માતા મુરાદ ખેતાનીએ ખરીદી લીધા છે. મુરાદ ખેતાનીએ સાઉથની સુપરહિટ ફિલમ અર્જુન રેડ્ડીના રાઇટસ પણ ખરીદ્યા હતા, અને બોલીવૂડમાં તેમણે કબીર સિંહ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. જો કે, તેજાબની રીમેક અંગે હજુ કોઇ અધિકૃત માહિતી મળી નથી અને ફિલ્મની કથા, કલાકારો અંગે પણ કોઇ સંકેતો નથી.