The film speculates on the life of fugitive businessman Vijay Mallya
(Photo by Jack Taylor/Getty Images)

ફ્રોડ અને મની લોન્ડરિંગના અનેક કેસોનો સામનો કરી રહેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બુધવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે ક્યારે ભારત પાછા ફરશે તે કહી શકાય નથી, કારણ કે તેના પર યુકે છોડવા પર કાયદેસર રીતે પ્રતિબંધ છે.

માલ્યાએ પોતાના વકીલ અમિત દેસાઈ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો ભારતીય પાસપોર્ટ રદ થયા પછી તેમની પાસે સક્રિય પાસપોર્ટ નથી અને તેથી તેઓ ભારત પાછા ફરવાની ચોક્કસ તારીખ આપી શકતા નથી.

ગયા સપ્તાહે હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માલ્યા ભારત પાછા ન આવે ત્યાં સુધી તેમને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાના આદેશ સામેની અરજી પર સુનાવણી કરવામાં આવશે નહીં. હાઇકોર્ટની આ સ્પષ્ટતા પછી માલ્યાએ આ નિવેદન રજૂ કર્યું હતું.

/* */

૨૦૧૬થી યુકેમાં રહેતા માલ્યાએ હાઇકોર્ટમાં બે અરજીઓ દાખલ કરી છે. પ્રથમ અરજી તેમને એક ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાના આદેશ વિરુદ્ધની છે. બીજી અરજીમાં ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદાની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઊભો કર્યો છે. ૭૦ માલ્યા સામે કરોડો રૂપિયાની લોન ચુકવણીમાં ડિફોલ્ટ કરવાનો અને મની લોન્ડરિંગના આરોપોનો આરોપ છે.

નિવેદનમાં જણાવાયું હતું કે માલ્યાને ઈંગ્લેન્ડ અને વેલ્સ છોડવાની કે છોડવાનો પ્રયાસ કરવાની અથવા કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરી દસ્તાવેજ માટે અરજી કરવાની અથવા તેની પાસે રાખવાની પરવાનગી નથી. કોઈપણ સંજોગોમાં અરજદાર ભારત ક્યારે પરત ફરશે તે ચોક્કસ રીતે કહી શકે તેમ નથી

LEAVE A REPLY