(ANI Photo)

બે વર્ષ પછી આઈપીએલની ફાઈનલ બાદ આ વર્ષે શાનદાર સમાપન સમારંભ યોજાય તેવા સંકેત જાણકાર સૂત્રોમાંથી મળી રહ્યા છે. આઈપીએલની ક્વોલિફાયર મેચો કોલકાતા અને અમદાવાદમાં તેમજ ફાઈનલ અમદાવાદમાં યોજાવાની શક્યતા છે. સમાપન સમારંભ માટે તો રસ ધરાવતા લોકો પાસેથી ટેન્ડર્સ પણ આમંત્રિત કરાયા છે. જો કે આ તમામ બાબતોનું હજી સુધી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

સમાપન સમારંભ માટે બોર્ડે રીક્વેસ્ટ ઓફ પ્રપોઝલ રીલીઝ કરી છે. તેની નોન-રિફંડેબલ ફી રૂ. એક લાખ રખાઈ છે. આ ઉપરાંત તે અંગેના ટેક્ષ ખરીદનારે અલગથી ચૂકવવા પડશે. બોર્ડના સૂત્રો જણાવે છે કે, આ વખતે મહામારીની પરિસ્થિતિમાં ઘણો સુધારો જણાય છે. હવે મર્યાદિત સંખ્યામાં સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પણ પ્રવેશ મળી રહ્યો છે, ત્યારે આઈપીએલનું સમાપન પણ યાદગાર બને તેવું આયોજન થઈ રહ્યું છે.