ગુજરાતનું બજેટ રજૂ કરતા પહેલા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ

ગુજરાતનું 2023-24ના નાણાકીય વર્ષનું બજેટ જાહેર કરતાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ રાજ્યમાં સાત નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી હતી. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે.

શહેરીકરણની વધતી જતી જરૂરિયાતને પગલે સરકારે આ નિર્ણય કર્યો છે. હાલમાં અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાનો દરજ્જો ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતરિત કરવાથી તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પોતાની રીતે વધુ ભંડોળ મેળવવા માટે સક્ષમ બનશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ કાર્યક્રમ હેઠળ શહેરો માટે દર વર્ષે મોટા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે છે.

LEAVE A REPLY

2 × 4 =