લંડનના નીસડનમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 15 ફેબ્રુઆરીના રોજ વિવિધ ભક્તિમય પ્રવૃત્તિઓ સાથે મહા-શિવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
શંકર ભગવાનના શિવલિંગ સ્વરૂપમાં દિવ્ય પ્રગટીકરણ, માતા પાર્વતીજી સાથેના તેમના સ્વર્ગીય લગ્ન અને તેમના દિવ્ય તાંડવ નૃત્યને ચિહ્નિત કરતા પવિત્ર પ્રસંગની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપવાસ, પ્રાર્થના, ‘ઓમ નમઃ શિવાય’ મંત્રના જાપ અને અન્નકુટ અર્પણ સાથે સંતો અને અને ભક્તોએ પંચામૃતથી શિવલિંગને અભિષેક કર્યો હતો અને બિલ્વપત્ર અર્પણ કર્યા હતા. સૌએ વિશ્વભરના લોકોના કલ્યાણ, રક્ષણ અને સફળતા માટે પ્રાર્થના કરી હતી.
શિવજીની અભિવ્યક્તિના પ્રતીક સમાન બરફનું શિવલિંગ મંદિરની હવેલીમાં સ્થાપિત કરાયું હતું જેણે પવિત્ર યાત્રાધામ અમરનાથની યાદ અપાવી હતી.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ધાર્મિક નેતૃત્વ હેઠળ, BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS) વિશ્વભરમાં 80,000થી વધુ સ્વયંસેવકો અને 5,025 કેન્દ્રો ધરાવે છે અને વિશ્વભરમાં લાખો લોકોની સેવા કરે છે. યુકેમાં, BAPS સૌથી મોટા અને સૌથી સક્રિય હિન્દુ સમુદાયોમાંના એક તરીકે સેવાઓ આપે છે.
વધુ માહિતી માટે જુઓ baps.org અને neasdentemple.org















