જમ્મુ અને કાશ્મીરમાં બિન સ્થાનિક લોકોને મતાધિકાર આપવાની કથિત હિલચાલને પણ વિવાદ ઊભો થયો હતો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે શનિવારે સ્પષ્ટતા કરી છે કે મતદાર...
ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં 26/11 જેવા ત્રાસવાદી હુમલાની ધમકી આપતા ટેક્સ્ટ મેસેજિસ મળ્યા છે. હિન્દી ભાષામાં લખાયેલા આ મેસેજિસ પાકિસ્તાનનો કન્ટ્રી કોડ ધરાવતા ફોન નંબર...
વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા આશરે 5 કરોડના આંકની નજીક છે ત્યારે કાયદા પ્રધાન કિરણ રિજિજુએ શનિવારે જણાવ્યું હતું કે એક જજ 50 કેસોનો...
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન વી રમનાએ શનિવારે દુઃખ વ્યક્ત કર્યું હતું કે શિક્ષણની ફેક્ટરી બિલાડીના ટોપની જેમ ફુટી નીકળી હોવાથી ઉચ્ચ શિક્ષણ તેનું...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 209.40 કરોડ (2,09,40,48,140) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં...
અમેરિકાસ્થિત સંશોધન સંસ્તા હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ (એચઇઆઇ)ના તાજેતરના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2010થી 2019 સુધી 2.5 પાર્ટિકલ પોલ્યુટન્ટ (પીએમ) ધરાવતા વિશ્વના...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં ભારતની મુલાકાત લીધી હતી અને તેમના માટે ભારત સરકારે રૂ. 38 લાખનો ખર્ચ કર્યો હોવાની વિગતો બહાર આવી...
યુક્રેન સામેના યુદ્ધના કારણે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં ભારતે રશિયા પાસેથી ફ્યુઅલ ખરીધ્યું છે. આ અંગે ભારતના...
કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પંજાબી ચોથા સ્થાને છે, જ્યારે અન્ય ભારતીય ભાષાઓનો પણ ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, તેવું તાજેતરમાં જાહેર થયેલા આંકડામાં જણાયું છે.
કેનેડાના ઘરોમાં અત્યારે ઇંગ્લિશ અને ફ્રેંચ બે અધિકૃત ભાષાઓ સૌથી વધુ બોલાય છે, જ્યારે ત્યાર પછી મેન્ડેરીન અને પંજાબી ભાષા વધુ બોલાય છે તેવું, કેનેડાની ડેટા એજન્સી-સ્ટેટેસ્ટિક્સ કેનેડા (સ્ટેટકેન) દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આંકડા 2021ની વસતી ગણતરીના આધારિત છે.
જોકે, દેશમાં મેન્ડેરીન કરતા પંજાબી ભાષા બોલનારા લોકોની સંખ્યા વધી રહી છે. 2016 અને 2021 વચ્ચે પંજાબી બોલનારા લોકોની સંખ્યા 49 ટકા વધીને 520,000 પર પહોંચી હતી, જ્યારે મેન્ડેરીન બોલનારાઓની સંખ્યા 15 ટકા વધીને 5,31,000 નોંધાઇ હતી.
જ્યારે અન્ય ભારતીય ભાષા બોલાનારા લોકોની સંખ્યા પણ કેનેડામાં વધી રહી છે. હિન્દી બોલાનારા લોકોની સંખ્યા 66 ટકા વધીને 92,000 થઇ હતી અને ગુજરાતી બોલનારા પણ 92 હજાર હતા પરંતુ તેમની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો હતો. મલયાલમ બોલનારા લોકોની સંખ્યામાં 129 ટકાનો વધારો થઇને 35 હજાર પર પહોંચી હતી.
આ રીપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ઇમિગ્રેશન વધવાના કારણે વિવિધ ભાષાઓ બોલાનારાઓની સંખ્યામાં ઝડપી વધારો થયો હતો. મે 2016થી ડિસેમ્બર 2020 સુધીમાં કેનેડામાં આવેલા 20 ટકા કાયમી નિવાસીનો જન્મ ઇન્ડિયામાં થયો હતો.
એકંદરે ઘરમાં બિનઅધિકૃત ભાષા બોલાનારા વિશિષ્ટ કેનેડિયન્સની સંખ્યા 2016થી 16 ટકા વધીને ચાર મિલિયનથી 4.6 મિલિયન પર પહોંચી છે.
‘કોવિડ-19 મહામારીની અસર દેશમાં આવનારા વિદેશીઓ પર પડી હોવા છતાં, ઇમિગ્રેશન કેનેડાની ભાષાકીય વૈવિધ્યતાાને સમૃદ્ધ કરવાનું જાળવી રાખ્યું છે.’
કેનેડામાં બોલવા માટે અંગ્રેજી મુખ્ય ભાષા છે, તેના બોલનારા પાંચ વર્ષ અગાઉ 74.8 ટકા થી વધીને 2021માં 75.5 ટકા થઈ ગયા છે. જ્યારે અન્ય સત્તાવાર ભાષા ફ્રેન્ચના બોલનારા ઘટી રહ્યા છે. જે 22.2 ટકા થી ઘટીને 21.4 ટકા થઈ ગયા છે. બંને સત્તાવાર ભાષાઓ બોલનારાઓની સંખ્યા 18 ટકા પર સ્થિર રહી છે.
ભારતની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. તેમ છતાં રાહુલ ગાંધીની ચૂંટણી લડવાની આનાકાની વચ્ચે વિમાસણની...

















