આપણે આપણા સ્વપ્ન પૂર્ણ કરવા માટે જીવનમાં એકવાર લોટરી જીતવાની આશા રાખતા હોઇએ છીએ. પરંતુ જેકપોટ જીતવામાં પણ નસીબનો સાથ હોવો જરૂરી છે. પરંતુ અમેરિકામાં એક નિવૃત્ત દંપત્તી અત્યાર સુધીમાં અનેક લોટરી દ્વારા 26 મિલિયન ડોલર જેટલી મોટી રકમ જીતવામાં સફળ થયું છે, અને તેમની આ સફળતાની ગાથા ઇન્ટરનેટ પર વાઇરલ થઇ છે. અખબારી રીપોર્ટમાં જણાવ્યા અનુસાર મિશિગનના રહેવાસી જેરી અને માર્જ સેલ્બીએ આ નાણાનો ઉપયોગ ઘરના સમારકામમાં, પૌત્રો અને પ્રપૌત્રોના શિક્ષણ માટે કર્યો છે. તેમને છ સંતાનો અને પોતાની મેઇન
સ્ટ્રીટ કન્વીનિયન્સ શોપ છે. જેમાં માર્જ સેલ્બી લિકર અને સિગરેટની, જ્યારે જેરી પુસ્તકો અને સેન્ડવિચની જવાબદારી
સંભાળે છે. માર્જ સેલ્બીએ 2003માં વિનફોલ ગેમની પ્રથમ લોટરી ટિકિટ ખરીદી હતી. પરંતુ આ દંપત્તીએ અમેરિકાભરમાં વેચાયેલી ગેમમાં કાયદાકીય ખામી શોધી હતી.
83 વર્ષીય સેલ્બીએ જણાવ્યું હતું કે, તેમને વિનફોલ લોટરીમાં ‘રોલડાઉન’ ફીચરની જાણ થઇ હતી. જેમાં કોઇ જેકપોટ વિજેતા થતું નથી પરંતુ ઇનામની રકમ આગળ વધારવામાં આવતી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેગા મિલિયન લોટરી ગેમથી અલગ જ્યાં તમામ છ નંબર મેચ કરનારાને વિનફોલમાં ઇનામ મળે છે. જો જેકપોટ પાંચ મિલિયનનો છે અને જો કોઇના તમામ છ નંબર તેની સાથે મેચ નથી થતાં તો ઇનામની તમામ રકમ નીચેના વિજેતાઓને મળે છે, જેમાં પાંચ, ચાર અને ત્રણ નંબર મેચ થવા પર મોટું ઇનામ મળે છે.
પહેલેથી ગણિતમાં હોંશિયાર સેલ્બીએ સરેરાશ ગણતરી મુજબ લોટરી લેવાનું શરૂ કર્યું. તે અઠવાડિયાઓ દરમિયાન જ્યારે રોલડાઉન ટિકિટની ખરીદી પર ખાતરીપૂર્વક ઇનામની લાગવાની જાહેરાત થતી હતી ત્યારે તેમણે હજ્જારો ટિકિટ ખરીદી લીધી હતી.
સેલ્બી પાસે વેસ્ટર્ન મિશિગન યુનિવર્સિટીની ગણિતની બેચરલ ડિગ્રી છે. તેમણે બેટલ ક્રીકમાં કેલ્લોગના સીરીઅલ હેડક્વાર્ટરમાં આંકડા સંબંધિત કામ કર્યું હતું.
તેમણે પ્રથમવાર 2200 ડોલરથી રમત શરૂ કરી હતી પરંતુ તેમાં તેમણે 50 ડોલર ગુમાવ્યા હતા. જેમાં તેમને ફાયદો
અને નુકસાન વચ્ચે ગણિત અને સંભાવના વિશે સમજાયું હતું.
બીજીવાર જ્યારે રોલડાઉન જાહેર થયું ત્યારે તેમણે વિનફોલની 3600 ડોલરની ટિકિટ ખરીદી અને 6300 ડોલર જીત્યા હતા. પછી તેમણે 8000 ડોલરની ટિકિટ ખરીદી અને અંદાજે તેના બેગણા નાણા મેળવ્યા હતા. ત્યારપછી બંનેએ હજ્જારો ડોલર્સ સાથે ગેમ રમવાનું શરૂ કર્યું અને પોતાનો જીએસ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ નામનો બિઝનેસ શરૂ કર્યો હતો. છેલ્લે જ્યારે 2012માં આ ગેમ બંધ થઇ ત્યારે તેઓ છેલ્લે વિનફોલમાં રમ્યા હતા.
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં હવે વધુ બાળકો પેદા કરવા માટે સરકાર પ્રોત્સાહન આપશે. મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાક વિશેષ લાભો આપશે. ચીનમાં કર્મચારીઓની ઉંમર સતત ઘટી રહી છે અને અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે. આ સાથે જ ચીનમાં વસ્તીદર અનેક દાયકાઓમાં સૌથી નીચો રહ્યો છે.
ચીને 2016માં તેની “એક બાળકની નીતિ” સમાપ્ત કરી હતી. તે પછી યુગલોને ત્રણ બાળકો અપનાવવાની મંજૂરી ગયા વર્ષે જ આપવામાં આવી હતી. પરંતુ ચીનમાં હવે જન્મ દર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને મંગળવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમગ્ર દેશમાં બાળકો માટે પ્રજનન આરોગ્ય અને સેવાઓમાં સુધારો કરવા માટે ખર્ચ વધારવાની અપીલ કરી છે. આમાં સ્થાનિક સરકારોને પ્રજનનક્ષમતા સુધારવાની પદ્ધતિઓનો અમલ કરવા, યુવાન પરિવારોને સબસિડી આપવી, કરમાં છૂટ આપવી, અને બહેતર આરોગ્ય વીમો, શિક્ષણ, આવાસ અને રોજગારમાં ટેકો આપવાનો સમાવેશ થાય છે. નવી માર્ગદર્શિકા અનુસાર, વર્ષના અંત સુધીમાં, તમામ પ્રાંતોએ 2 થી 3 વર્ષની વયના બાળકો માટે પૂરતી નર્સરી બનાવવાની જરૂર પડશે જેથી કરીને બાળસંભાળ સેવાની અછતને દૂર કરી શકાય. ચીનના શહેરોમાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા પર ટેક્સ કપાતની સુવિધા આપવામાં આવી રહી છે, સાથે જ રોકડ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છે. ચીનમાં ગયા વર્ષે જન્મદર ઘટીને દર હજાર લોકોએ 7.52 બાળકો સુધી પહોંચી ગયું હતું. જે 1949થી નિભાવવામાં આવતા વસતી ગણત્રીના આંકડા અનુસાર સૌથી નીચો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ભારતે રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું...
રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીની બુધવારની જાહેરાતથી કેન્દ્રની મોદી સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી અને સરકારે તાકીદે આ મુદ્દે યુ-ટર્ન લેવો પડ્યો...
લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે વાર્ષિક ધ્વજવંદન સમારોહ દરમિયાન, ભારતના કાર્યકારી હાઈ કમિશનર સુજીત ઘોષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને કરેલ સંબોધન વાંચ્યું હતું.
પરંપરાગત સ્વતંત્રતા...
- રાજદૂત ગુરજીત સિંહ, એમ્બેસડર
જ્યારે યુરોપમાં રોગચાળા અને નવા યુદ્ધને કારણે વૈશ્વિકરણ સામે ધમકીઓને ઉગ્ર થતી જોવા મળી રહી છે ત્યારે આપણને સૌને ડેવલપમેન્ટ...
સોમવારના રોજ આવી રહેલા ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આ વિકેન્ડમાં 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે યુકેમાં વસતા 1.5 મિલિયનથી વધુ ભારતીય ડાયસ્પોરાના...
જેનાં મૂળ ભારતમાં છે તે હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મો માને છે કે ભગવાન તરફના તમામ માર્ગો માન્ય છે અને સદીઓથી આ ઉત્કૃષ્ટ...
ભારત બ્રિટિશ શાસનમાંથી તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમે ભારત સરકાર, ભારતના હાઈ કમિશન અને યુકેમાંના ભારતીય ડાયસ્પોરા સાથે સમગ્ર...
15મી ઓગસ્ટ 2022ના દિવસ માટે યુકે અને દુનિયામાં કોઇ પણ છેડે વસતા દરેક ભારતીયને ન્યાય સાથે ગર્વની લાગણી થશે. આ તે ગૌરવવંતો દિવસ છે...

















